Proverbs 11

1ખોટાં ત્રાજવાં યહોવાહને કંટાળારૂપ છે,
પણ સાચા વજનથી તેમને આનંદ થાય છે.
2અહંકાર આવે છે ત્યારે અપમાન પણ આવે છે,
પણ નમ્ર જનો પાસે ડહાપણ હોય છે.

3પ્રામાણિક માણસની વિશ્વાનીયતા તેને દોરે છે,

પણ ધુતારા પોતાના દુષ્ટ ઇરાદાઓથી નાશ પામશે.
4કોપને દિવસે દ્રવ્ય કંઈ કામ આવતું નથી,
પણ નેકી મોતથી ઉગારે છે.

5પ્રામાણિક માણસની નેકી તેનો માર્ગ સ્થિર કરે છે,

પણ દુષ્ટ માણસ પોતાની જ દુષ્ટતાથી પાયમાલ થશે.
6પ્રામાણિક માણસની નેકી, ઈશ્વરને પસંદ છે તેથી તે બચી જશે,
પરંતુ કપટ કરનારા તેઓની પોતાની યોજનાઓમાં ફસાય છે.

7દુષ્ટ માણસની અપેક્ષા તેના મૃત્યુ સમયે નાશ પામે છે,

અને અન્યાયીની આશા પણ નાશ પામે છે.
8સદાચારીને સંકટમાંથી ઉગારી લેવામાં આવે છે
અને તેને બદલે દુષ્ટો તેમાં ફસાય છે.

9દુષ્ટ માણસ પોતાની વાણીથી પોતાના પડોશીઓનો નાશ કરે છે,

પરંતુ ન્યાયી તેના ડહાપણ વડે બીજાઓને ઉગારે છે.
10ન્યાયી વ્યક્તિની સફળતામાં આખું નગર હર્ષ કરે છે;
અને દુષ્ટોનો નાશ થાય છે ત્યારે હર્ષના નાદ સંભળાય છે.
11સદાચારીના આશીર્વાદથી નગરની ઉન્નતિ થાય છે,
પણ દુરાચારીની વાણીથી તેનો નાશ થાય છે.

12પોતાના પડોશીનો તુચ્છકાર કરનાર અજ્ઞાની છે,

પણ બુદ્ધિમાન માણસ શાંત રહે છે.
13ચાડી કરનાર માણસ છૂપી વાત બહાર પાડી દે છે,
પણ વિશ્વાસુ વ્યક્તિ એ વાતને ગુપ્ત રાખે છે.

14જ્યાં આગેવાન અજ્ઞાન હોય, ત્યાં લોકો નાશ પામે છે,

પણ જ્યાં પુષ્કળ સલાહકારો હોય ત્યાં સલામતી છે.

15પારકાના જામીન થનારને વેઠવું પડે છે,

જે જામીનગીરી લેવાનું ટાળે છે તે સુરક્ષિત છે.
16સુશીલ સ્ત્રી આબરુને સાચવી રાખે છે;
અને જુલમી માણસો દ્રવ્ય સાચવી રાખે છે.

17દયાળુ માણસ પોતાની જાતનું હિત કરે છે,

પણ ઘાતકી માણસ પોતાના દેહને દુ:ખમાં નાખે છે.
18દુષ્ટની કમાણી ઠગારી છે,
પણ નીતિમત્તાનું બીજ વાવનારને સાચો હોવા બદલ વળતર મળશે.

19જે માણસ નેકીમાં સુદ્રઢ છે તે જીવન સંપાદન કરે છે,

પણ બૂરાઈ શોધનાર પોતાનું જ મોત લાવે છે.
20વિપરીત અંતઃકરણવાળા માણસોથી યહોવાહ કંટાળે છે,
પણ જેઓ નીતિમત્તાથી જીવે છે તેઓ તેમને આનંદરૂપ છે.

21ખાતરી રાખજો કે દુષ્ટને સજા થયા વિના રહેશે નહિ,

પણ સદાચારીઓનાં સંતાનનો બચાવ થશે.
22જેમ ભૂંડના નાકમાં સોનાની નથણી હોય છે
તેમ વિવેકહીન સ્ત્રીની સુંદરતા છે.

23નેક માણસની ઇચ્છા સારી જ હોય છે,

પરંતુ દુષ્ટોની ઇચ્છાઓ કોપરૂપ છે.
24એવા માણસો છે કે જેઓ વેરી નાખે છે તેમ છતાં વૃદ્ધિ પામે છે;
અને કેટલાક વધુ પડતી કરકસર કરે છે તેમ છતાં તેઓ કંગાળ થાય છે.

25ઉદાર વ્યક્તિ આબાદ થશે,

પાણી આપનાર પોતે પણ પાણી પીશે.
26અનાજ સંઘરી રાખનારને લોકો શાપ આપે છે,
પણ વેચનાર ઉપર તેઓ આશીર્વાદ વરસાવે છે.

27ખંતથી હિત શોધનારને ઈશ્વરની કૃપા પ્રાપ્ત થશે,

પણ જે અહિત કરે છે તેઓને નુકશાન થશે.
28પોતાના દ્રવ્ય પર ભરોસો રાખનાર પડી જશે,
પણ નેકીવાન લીલા પાનની માફક ખીલશે.

29જે પોતાના જ કુટુંબને દુ:ખી કરે છે, તેને પવનનો વારસો મળશે,

અને મૂર્ખ માણસ જ્ઞાનીનો ચાકર બનશે.

30નેકીવાનનું ફળ તે જીવનનું વૃક્ષ છે,

પણ જે જ્ઞાની છે તે બીજા આત્માઓને બચાવે છે.
નેકીવાનને પૃથ્વી પર બદલો મળશે;
તો દુષ્ટ અને પાપીને પણ તેના કામ પ્રમાણે બદલો મળશે તે કેટલું ખાતરીપૂર્વક છે!
31

Copyright information for GujULB